॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૬૭: સત્પુરુષના ગુણ આવ્યાનું

નિરૂપણ

તા. ૨૩/૩/૧૯૫૯. વાસણા. યોગીજી મહારાજ કહે, “સત્પુરુષના ગુણ સૌને લેવા છે, પણ અનુતાપ નથી કરતા. અનુતાપ કરવો જોઈએ અને પોતાની ભૂલ ઓળખવી જોઈએ. વિવેક જ્યાંથી નીકળ્યો કહેતા સત્પુરુષમાંથી, તેને કહે છે – વિવેક નથી. સત્પુરુષ જે કરે એમાં ગુણાતીતભાવ. એમ સમ્યક્ પ્રકારે નિર્દોષબુદ્ધિ સંતમાં રાખે, તો ગુણ આવે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૨૨]

March 23, 1959, Vāsanā. Yogiji Mahārāj said, “Everyone wishes to acquire the virtues of the Satpurush, but they do not feel remorseful of their vices. One should feel remorse and recognize one’s own flaws. One says of the Satpurush - who is the source of vivek (wisdom, discretion) - that he has no vivek. However, one should keep gunātit-bhāv in whatever the Satpurush does. In this way if one keeps total divinity in the Sant in every way, then one will acquire his virtues.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/522]

નિરૂપણ

તા. ૨૬/૩/૧૯૫૬. સારંગપુર. યોગીજી મહારાજ કહે, “મોટાપુરુષનો સંબંધ થયો ક્યારે કહેવાય? પ્રથમ ૬૨ વચનામૃત પ્રમાણે સમ્યક્ પ્રકારે સંબંધ થયો કહેવાય. એવા ગુણ આવવા માટે પ્રથમ ૬૭ વચનામૃત સિદ્ધ કરવું. ‘હું તો કંઈ જાણતો નથી.’ એમ પરિતાપ કરે. મોટાપુરુષ પાસે ઠરાવ કરીને ન આવે. પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે. આપણે પરિતાપ નથી થતો, તેથી:

‘અમ બે બુટી, તમ બે બુટી, બુટી ભેલંભેલા,
છાયા વિનાનું ઝાડ બતાવો, તો તુમ ગુરુ હમ ચેલા.’

“મોટાપુરુષ આગળ ડહાપણ ન કરવું. મહારાજ છતાં ને શાસ્ત્રીજી મહારાજ છતાં પણ (ડહાપણ કરવાવાળા) રહી ગયા. ડહાપણ એટલે બીબાં (પોતાના મનનાં) છોડી ન શકે. તમને મહાત્મા ક્યારે માનું? કે છાયા વિનાનું ઝાડ બતાવો તો માનું. એવો હોય તેમાં ક્યાંથી ગુણ આવે?”

મહાચતુર; કાબેલ; પહોંચેલ માણસ.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૪૨]

March 26, 1956, Sārangpur. Yogiji Mahārāj said, “When can one be said to have developed a rapport with the Motā-Purush? When one acts according to Vachanāmrut Gadhadā I-62. For these virtues to be acquired, one must perfect Vachanāmrut Gadhadā I-67. One should feel repentance [due to one’s own flaws] and think, ‘I do not understand anything.’ He does not comes to the Motā-Purush with preconceived notions. Then one will acquire the virtues of the Satpurush. We do not feel such repentance, hence:

Am be buti, tam be buti, buti bhelambhelā,
Chhāyā vinānu jhād batāvo, to tum guru hum chelā!

[Meaning: I am very clever and you are very clever, we are both clever alike; show me a tree that does not give shade, then you are a guru and I am your shishya.]

“Do not act over-wise in front of the Motā-Purush. Those that have tried to do so in front of Mahārāj and Shāstriji Mahārāj were left behind [on the spiritual path]. Acting over-wise means not setting aside the whims of one’s mind. If one thinks, ‘I will only accept that you are great if you show me a tree without shade,’ then how will one acquire the virtues of the Satpurush?”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/42]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase